ગમતી પંક્તિઓ
મને ગમતી અમુક પંક્તિઓ જે ક્યારેક કોઈક સમાચાર પત્ર માં કે ક્યાંક વાંચેલી.
“મૃગજળ ના માન માટે પાછો ફર્યો છુ હું
નહિતર તો ઘાટ ઘાટ ના પાણી પીધા છે મેં.”
-કૈલાસ પંડિત
“તૃષા નું ના પુછો માપ કે ધોરણ,
ઝાંકળ પણ જો મળ્યુ તો પી ગયો છુ હું.”
(બરાબર યાદ નથી કે કોણે લખેલી છે)
“અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું”
-‘શૂન્ય’ પાલનપુરી
this is great
go head we are with you
kathiyawadi bhaie na…. ram ram
ક્યાંક વાંચેલી અને મને ગમતી એક રચના મુકુ છું,વાંચકમિત્રોને પણ ગમશે.
એ મયકદામાં જેઓ કદી ગયા નથી
તેઓ કહે છે શાકીના દિલમાં દયા નથી
ઉપહાસ સ્મિતમાં હશે કે હશે સ્વિકારમાં
ખુશ્બુ પરખવી દ્દષ્ટિથી સહેલી કળા નથી
શાકી કહે છે એવા સરાબીને સો સલામ
આંસુ ભરે છે જામમાં જ્યારે સુરા નથું
મોમીન ઉભું છે દ્વાર પર આ કોણ ક્યારનું?
આવો કહ્યું તો કહે છે એ અંદર જગા નથી
-હાસમ વૈધ મોમીન
સાભાર રજુઆતઃપ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”
paheli pankti kailas pandit ni 6
ધન્યવાદ જયેશભાઈ