દેશી ધમાચકડી

ગમતી પંક્તિઓ

Posted in કાવ્ય by અશ્વિન on મે 1, 2009

મને ગમતી અમુક પંક્તિઓ જે ક્યારેક કોઈક સમાચાર પત્ર માં કે ક્યાંક વાંચેલી.

“મૃગજળ ના માન માટે પાછો ફર્યો છુ હું
નહિતર તો ઘાટ ઘાટ ના પાણી પીધા છે મેં.”
-કૈલાસ પંડિત

“તૃષા નું ના પુછો માપ કે ધોરણ,
ઝાંકળ પણ જો મળ્યુ તો પી ગયો છુ હું.”
(બરાબર યાદ નથી કે કોણે લખેલી છે)

“અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું”
-‘શૂન્ય’ પાલનપુરી

4 Responses

Subscribe to comments with RSS.

  1. jayesh vaghasiya said, on મે 3, 2009 at 1:59 પી એમ(pm)

    this is great
    go head we are with you
    kathiyawadi bhaie na…. ram ram

  2. dhufari said, on મે 17, 2009 at 9:27 એ એમ (am)

    ક્યાંક વાંચેલી અને મને ગમતી એક રચના મુકુ છું,વાંચકમિત્રોને પણ ગમશે.

    એ મયકદામાં જેઓ કદી ગયા નથી
    તેઓ કહે છે શાકીના દિલમાં દયા નથી
    ઉપહાસ સ્મિતમાં હશે કે હશે સ્વિકારમાં
    ખુશ્બુ પરખવી દ્દષ્ટિથી સહેલી કળા નથી
    શાકી કહે છે એવા સરાબીને સો સલામ
    આંસુ ભરે છે જામમાં જ્યારે સુરા નથું
    મોમીન ઉભું છે દ્વાર પર આ કોણ ક્યારનું?
    આવો કહ્યું તો કહે છે એ અંદર જગા નથી
    -હાસમ વૈધ મોમીન
    સાભાર રજુઆતઃપ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  3. jayeshupadhyaya said, on જૂન 10, 2009 at 9:17 એ એમ (am)

    paheli pankti kailas pandit ni 6


Leave a reply to jayesh vaghasiya જવાબ રદ કરો